51 Shaktipeeth: જય દુર્ગા વૈદ્યનાથ દેવઘર ઝારખંડ શક્તિપીઠ - 24

શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (15:55 IST)
Jai durga Baidyanath Dham Deoghar- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
જયદુર્ગા વૈદ્યનાથ શક્તિપીઠઃ ઝારખંડના દેવઘરમાં સ્થિત વૈદ્યનાથ ધામ જ્યાં માતાનું હૃદય પડ્યું હતું, જેના કારણે આ સ્થાનને 'હરડપીઠ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની શક્તિ જયદુર્ગા છે અને શિવને વૈદ્યનાથ કહેવામાં આવે છે. ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગોમાંનું નવમું જ્યોતિર્લિંગ વૈદ્યનાથ ધામ છે. ભારતમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં જ્યોતિર્લિંગની સાથે શક્તિપીઠ પણ છે. આ જ કારણ છે કે આ સ્થાનને 'હૃદય પીઠ' અથવા 'કડક પીઠ' પણ કહેવામાં આવે છે.
 
દેવઘરની શક્તિ સાધનામાં ભૈરવનું વર્ચસ્વ છે અને અહીં વૈદ્યનાથ પોતે ભૈરવ છે. તેમની પ્રતિષ્ઠાનો આધાર તાંત્રિક વિધિનું વર્ચસ્વ છે. તાંત્રિક ગ્રંથોમાં આ સ્થળની ચર્ચા કરવામાં આવી છે. દેવઘરમાં કાલી અને મહાકાલના મહત્વની ચર્ચા પદ્મપુરાણના પાતાલખંડમાં પણ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર