Navratri Colours 2024 : આ છે નવરાત્રીના નવ રંગ, દરેક રંગનું છે અલગ મહત્વ

ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2024 (10:00 IST)
nine rang navratri
Navratri 2024 List of Nine Colors નવરાત્રીના નવ દિવસો દરમિયાન આદિશક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પ્રથમ દિવસથી 9મા દિવસ સુધી, મા દુર્ગાના 9 વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને આ 9 દિવસો માટે ભક્તો વિવિધ રંગોના વસ્ત્રો પહેરે છે. આમ કરવાથી તમને મા દુર્ગાના તમામ 9 સ્વરૂપોના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એ પણ જણાવીશું કે નવરાત્રિના આ 9 દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવા માટે તમારે કયા રંગના કપડાં પહેરવા જોઈએ.
 
નવરાત્રિના પ્રથમ દિવસનો રંગ કેસરી(નારંગી) છે
નવરાત્રીના બીજા દિવસનો રંગ સફેદ હોય છે
નવરાત્રિના ત્રીજા દિવસનો રંગ લાલ છે
નવરાત્રિના ચોથા દિવસનો રંગ વાદળી છે
નવરાત્રિના પાંચમા દિવસનો રંગ પીળો છે
નવરાત્રિના છઠ્ઠા દિવસનો રંગ લીલો  છે
નવરાત્રિના સાતમા દિવસનો રંગ રાખોડી છે
નવરાત્રિના આઠમા દિવસનો રંગ જાંબલી છે
નવરાત્રીના નવમા દિવસનો મોરપીંછ લીલો રંગ
 
1) પ્રતિપદાના દિવસે નારંગી ધારણ કરવાનું શું મહત્વ છે?
નવરાત્રિની શરૂઆત થાય તે દિવસે માટીનો કુંભ મૂકવામાં આવે છે અને તેને ઘટસ્થાપનાં કહેવામાં આવે છે. આ દિવસે જે પૂજા કરાય છે તેને પ્રથમી પૂજા કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસને પ્રતિપદા કહેવામાં આવે છે. આ દિવસ માતા શૈલપુત્રીનો છે. આ દિવસે કેસરી રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ રંગ પહેરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને માતાની કૃપા જળવાઈ રહે છે.
 
2) બીજા દિવસે સફેદ વસ્ત્ર પહેરવાનું શું મહત્વ છે?
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી બુદ્ધિ અને જ્ઞાનની દેવી છે. માતાને સફેદ રંગ ગમે છે. સફેદ રંગ શુદ્ધતા અને જ્ઞાનનું પ્રતીક છે.
 
3) ત્રીજા દિવસે લાલ રંગ કેમ પહેરવો?
નવરાત્રિનો ત્રીજો દિવસ કૃપા અને બહાદુરીની દેવી મા ચંદ્રઘંટાનો દિવસ છે. આ દિવસે લાલ રંગ પહેરવો જોઈએ. લાલ રંગ શક્તિ અને રક્ષણનું પ્રતીક છે.
 
4) ચોથા દિવસે વાદળી રંગ પહેરવાનું શું મહત્વ છે?
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. જો તમે આ દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરીને મા દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરો છો, તો તમને માતાના સંપૂર્ણ આશીર્વાદ મળે છે. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધે છે.
 
5) પંચમીના દિવસે પીળો રંગ કેમ પહેરવામાં આવે છે?
નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. પીળો રંગ સુખ, શાંતિ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે.
 
6) છઠ્ઠના દિવસે લીલો રંગ ધારણ કરવાનું શું મહત્વ છે?
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની શાંતિની દેવી છે. તેનો પ્રિય રંગ લીલો છે. એવું કહેવાય છે કે જો અપરિણીત છોકરીઓ આ દિવસે લીલો રંગ ધારણ કરીને માતાની પૂજા કરે છે તો તેમને યોગ્ય વર મળે છે.
 
7) સપ્તમીના દિવસે રાખોડી રંગના વસ્ત્રો શા માટે?
નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ઉગ્ર અને તેજસ્વી માનવામાં આવે છે. માતાને ગ્રે કે બ્રાઉન કલર ગમે છે. ગ્રે રંગ શાણપણ અને જ્ઞાનનું પ્રતીક છે.
 
8) અષ્ટમીના દિવસે જાંબલી રંગ કેમ પહેરવામાં આવે છે?
નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાંબલી રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાગૌરી તેમના ભક્તોને શાંતિ અને સહનશક્તિ પ્રદાન કરે છે. તેનો પ્રિય રંગ જાંબલી છે. આ રંગ પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે.
 
9) નવમીના દિવસે મોરનો લીલો રંગ કેમ પહેરવામાં આવે છે?
નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીને સફળતા અને સંપત્તિની દેવી માનવામાં આવે છે. માતાનો પ્રિય રંગ મોરપીંછ લીલો છે. આ રંગ જ્ઞાન અને અજ્ઞાનતાના અંતનું પ્રતીક છે. આવી સ્થિતિમાં તમારે પણ આ દિવસે મોરપીંછ લીલા રંગના વસ્ત્રો ધારણ કરીને દેવી માતાની પૂજા કરવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર