જમ્મુ એરપોર્ટને ઉડાવી દેવાનું કાવતરું હતું, પાકિસ્તાને 20 કિલો વિસ્ફોટકો મોકલ્યા હતા, NSGનો મોટો ખુલાસો
Operation Sindoor - દેશની સુરક્ષાની જવાબદારી સંભાળતા NSGના ડિરેક્ટર જનરલ ભૃગુ શ્રીનિવાસને પાકિસ્તાનના એક નાપાક કૃત્યનો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાએ જમ્મુ એરપોર્ટને ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે, એક પાકિસ્તાની ડ્રોન 20 કિલો વિસ્ફોટકો લાવ્યું હતું, જેને NSG અને સુરક્ષા દળોએ સાથે મળીને નિષ્ક્રિય કરી દીધું હતું.