દિલ્હીઃ ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, સાતના મોત, 60થી વધુ ઝૂંપડા બળીને ખાખ

શનિવાર, 12 માર્ચ 2022 (09:26 IST)
ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં સવારે 1 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ ઝૂંપડપટ્ટીઓ બળી ગઈ છે. ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. કૂલીંગનું કામ હજુ ચાલુ છે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર