તેમણે મલેશિયાની યાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "હું આતંકવાદ સામે ભારતનો સંદેશ આપવાના મિશન પર છું, પરંતુ ઘરમાં લોકો મારી રાજનીતિક વફાદારીનો હિસાબ કરી રહ્યા છે."
તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, "લોકો એવી વાતો કરે છે કે તમે જે શિષ્ટમંડળમાં છો ત્યાં ભાજપના લોકો છે તો તમે શું કરી રહ્યા છો. તમે ત્યાં શું કરો છો. અમે દેશના મિશન પર છીએ જે જરૂરી છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કઈ પાર્ટીમાં છો. આજે એક અવાજ દેશના સમર્થનમાં બોલવાની જરૂર છે અને અમે એ જ કરી રહ્યા છીએ."