Raja Raghuvanshi murder Case - માસ્ટરમાઈંડ રાજ અને સોનમની શા માટે ગુના કબૂલ કરવાની જરૂર પડી, નવા ખુલાસા

શુક્રવાર, 13 જૂન 2025 (18:41 IST)
Raja Raghuvanshi murder - રાજા અને સોનમ 23 મેના રોજ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં રજાઓ ગાળતી વખતે ગુમ થઈ ગયા હતા. રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ એક કોતરમાંથી મળી આવ્યો હતો, જ્યારે સોનમ ઘટના પછીથી ગુમ હતી. સોનમે 8 જૂનના રોજ મોડી રાત્રે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, જ્યારે રાજ કુશવાહા સહિત ચાર આરોપીઓની મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી.

ALSO READ: Raja Raghuvanshi Case: સોનમ પાસે ઘણા ઊંડા રહસ્યો છે, તેણીએ ફક્ત પ્રેમ માટે તેના પતિની હત્યા નથી કરી.
 
રાજા અને સોનમ હનીમૂન માટે ગયા હતા ત્યાં સોનમ અને રાજ કુશવાહ સાથે ત્રણ લોકોએ રાજા રઘુવંશીની હત્યા પણ કરી દીધી અને તે લોકો સફળતા પૂર્વક ત્યાંથી ભાગીને 17 દિવસ છુપીને રહ્યા તો આ શું કારણ હતુ જેના કારણે સોનમએ પોતે ફોન કરીને જાણ કરી જાણો... 

ALSO READ: Sonam Killed Raja Raghuvanshi - સોનમ રઘુવંશીએ રહસ્ય ખોલ્યું, પતિ રાજાની હત્યાનું કારણ જણાવ્યું
મેઘાલય પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. મેઘાલય પોલીસને એ પણ જાણવા મળ્યું કે સોનમનો બોયફ્રેન્ડ રાજ કુશવાહા હત્યાના કાવતરાનો માસ્ટરમાઈન્ડ હતો અને તે સહ-કાવતરાખોર હતો. સોનમની પૂછપરછના પહેલા દિવસે, તેના બોયફ્રેન્ડ રાજ અને અન્ય ત્રણ લોકોએ પણ ખુલાસો કર્યો કે તે (સોનમ) મેઘાલયથી બુરખો પહેરીને ભાગી ગઈ હતી અને ટેક્સી, બસ અને ટ્રેન જેવા પરિવહનના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને મધ્યપ્રદેશના ઇન્દોર પહોંચી હતી.

આ દરમિયાન મેઘાલયના મીડિયાએ એક ટુરિસ્ટ ગાઇડ સાથે વાત કરી, જેમણે કહ્યું કે તેમણે સોનમ અને રાજાને ત્રણ માણસો સાથે જોયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ,  ઇન્દોરમાં સોનમ 14 દિવસ સુધી રાજ સાથે રોકાઈ હતી તે પછી રાજે સોનમને ઇન્દોર છોડીને સિલિગુડીમાં ક્યાંક જવા અને અપહરણનો ભોગ બનવાનો દાવો કરવા કહ્યું હતું, પરંતુ જ્યારે સોનમ 8 જૂને ઇન્દોરથી નીકળી ત્યારે મેઘાલયથી બે પોલીસ ટીમો સાદા કપડામાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પહોંચી ગઈ હતી. 

ALSO READ: Raja Raghuvanshi Murder Case- રાજા રઘુવંશી હત્યા કેસનું સૌથી મોટું રહસ્ય ખુલ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પહેલી ધરપકડ (આકાશ) ની કરવામા આવી ત્યારે રાજ ગભરાઈ ગયો અને તેણે સોનમને કહ્યું કે તે જ્યાં પણ હોય ત્યાં તેના પરિવારને ફોન કરીને જણાવે કે તે અપહરણ ગેંગમાંથી ભાગી ગઈ છે. આ રીતે ગાઝીપુરનો આખો મામલો પ્રકાશમાં આવ્યો.

તેમને લાગ્યું કે રાજાનો મૃતદેહ દૂર હોવાથી તે મળશે નહીં અને પોલીસ તપાસમાં એક થી બે મહિના લાગશે, તેથી સોનમે પોતાને પીડિતા કહેવાનું વિચાર્યું. અમે તેમના નિવેદનો નોંધી રહ્યા છીએ. અમે તેમની પૂછપરછ કરી રહ્યા છીએ, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર