PM Modi Birthday Gifts E-Auction: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, સંસ્કૃતિ મંત્રાલયે તેમના જન્મદિવસની ભેટોની ઈ-હરાજી શરૂ કરી છે. પ્રધાનમંત્રીએ 17 સપ્ટેમ્બરના રોજ તેમનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સાતમી વખત છે જ્યારે મંત્રાલય આવી હરાજી કરી રહ્યું છે. કુલ 1,301 ભેટોનો સમાવેશ થાય છે, જે લોકો ઓનલાઈન ખરીદી શકે છે. આ હરાજીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રીને મળેલી આ ખાસ ભેટોનું વેચાણ કરીને નમામી ગંગે પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો છે.
આ ઈ-હરાજી ૨ ઓક્ટોબર સુધી ચાલશે.
આ વર્ષની ઈ-હરાજી ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને ૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. સંસ્કૃતિ મંત્રાલયે દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (NGMA) ખાતે આ ભેટોનું એક પ્રદર્શન પણ યોજ્યું છે, જેમાં ૧૦૦ થી વધુ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ૧૭ સપ્ટેમ્બરના રોજ સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આવી પહેલી હરાજી જાન્યુઆરી ૨૦૧૯માં થઈ હતી, અને ત્યારથી, હજારો ભેટો વેચાઈ છે, જેનાથી નમામી ગંગે પ્રોજેક્ટ માટે ₹૫૦ કરોડથી વધુ એકત્ર થયા છે.