ભારતે તેની જવાબી કાર્યવાહીમાં લાહોરમાં સ્થિત પાકિસ્તાનના AWACS (Airborne Warning and Control System) ને નષ્ટ કરી દીધું છે. AWACS સિસ્ટમના વિનાશને કારણે, પાકિસ્તાન વાયુસેનાને હવે નૌકાદળ અને પાકિસ્તાન સેના સાથે સંકલન કરવામાં મુશ્કેલી પડશે. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન વાયુસેનાની ક્ષમતા અડધાથી પણ ઓછી થઈ જશે. અગાઉ, પાકિસ્તાન સામે બદલો લેવા માટે, ભારતે તેમના કુલ 3 લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. ભારત દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાની લડાકુ વિમાનોમાં બે JF-17 અને એક F-16નો સમાવેશ થાય છે.
શું છે AWACS સિસ્ટમ?
AWACS એ એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે, જે એક ખાસ પ્રકારનું વિમાન છે જે લાંબા અંતરની દેખરેખ રાખવા અને દુશ્મનની ગતિવિધિઓ શોધવા માટે રચાયેલ છે. આ આખી સિસ્ટમ વિમાનમાં સ્થાપિત છે અને તે રડાર અને અન્ય સેન્સરથી સજ્જ છે. નિષ્ણાતોના મતે, AWACS વિમાનમાં સ્થાપિત રડાર સિસ્ટમ ભારતીય હવાઈ ક્ષેત્રને સ્કેન કરી શકે છે.