landslide in Badrinath- બદ્રીનાથમાં ભૂસ્ખલનના ભયાનક

શુક્રવાર, 5 મે 2023 (11:28 IST)
ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં જતા હજારો ચારધામ તીર્થયાત્રી શુક્રવારે ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં પર્વતોથી એક મોટો ખડક ઘસડી હવાથી અને એક મુખ્ય રોડના અવરૂદ્ધ થવાના કારણે રસ્તામાં ફંસી ગયા. 
 
અધિકારીઓએ કહ્યુ કે તીર્થયાત્રાને અસ્થાયી રૂપથી રોકી દીધુ છે અને મહિલાઓ અને બાળકો સાથે લોકોને માર્ગના મુખ્ય જગ્યા પર રોકાવવા માટે કહ્યુ છે. 
 
ઉત્તરાખંડ ડિજાસ્ટર મિટિગેશન એંડ મેનેજર સેંટરના કાર્યકારી નિદેશક પીયૂષ રોતૈલાએ કહ્યુ કે સીમા રોડ સંગઠનએ શનિવાર સુધી કાટમાળ સાફ કરવાની આશા છે. 
 
રોતેલાએ એચટીને જણાવ્યુ "તીર્થયાત્રીઓ માટે ભોજન અને આવાસ સંબંધિત તમામ વ્યવસ્થા સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે." આ યાત્રા આ મહિનાની શરૂઆતમાં શરૂ થઈ હતી અને જૂનના અંત સુધી ચાલશે.
 
આ ઘટના રાજ્યની રાજધાની દેહરાદૂનથી લગભગ 300 કિમી દૂર બદ્રીનાથથી જોશીમઠને જોડતા રોડ પર બની હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર