Kishtwar Cloudburst: ક્યા છે મચૈલ માતા મંદિર? જ્યા વાદળ ફાટવાથી 12 લોકોના થયા મોત, શુ છે આ યાત્રાનો ઈતિહાસ ?

ગુરુવાર, 14 ઑગસ્ટ 2025 (16:01 IST)
Machai Yatra
કિશ્તવાડમાં મચૈલ યાત્રા દરમિયાન આજે વાદળ ફાટવાની ઘટનાથી હાહાકાર મચી ગયો. આ ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચુક્યા છે. હાલ અહી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. 
 
 જમ્મુ વિભાગના કિશ્તવાડ જિલ્લામાં મા ચંડીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ અહીં આવે છે તે જાણીતું છે. આ યાત્રા 25 જુલાઈથી શરૂ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર ઉપરાંત પંજાબ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી તેમજ અન્ય રાજ્યોના ભક્તો પણ માચૈલ યાત્રામાં ભાગ લેવા માટે આવે છે. આ યાત્રાની દેખરેખ રાખવાની જવાબદારી કિશ્તવાડના અધિક જિલ્લા નાયબ કમિશનર પવન કોટવાલને સોંપવામાં આવી છે.
 
કિશ્તવાડમાં છે આ મંદિર  
માચૈલ માતા એ દેવી દુર્ગાનું મંદિર છે, જેને માચૈલ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધાર્મિક સ્થળ જમ્મુના કિશ્તવાડ જિલ્લાના માચૈલ ગામમાં છે. નોંધનીય છે કે અહીં હાજર દેવી દુર્ગાને કાલી અથવા ચંડીના નામથી પણ ઓળખવામાં આવે છે.
 
મંદિરનો ઇતિહાસ શું છે: મંદિરનો ઇતિહાસ જોરાવર સિંહ કહલુરિયાના વિજય સાથે સંકળાયેલ છે. ૧૮૩૪માં લદ્દાખના સ્થાનિક બોટીઓની સેનાને હરાવવા માટે ૫૦૦૦ સૈનિકો સાથે પર્વતો અને સુરુ નદી (સિંધુ) પાર કરતા પહેલા તેમણે માચૈલ માતાના આશીર્વાદ લીધા હતા.
 
સફળ અભિયાન પછી, તેઓ તેમના ભક્ત બન્યા. માચૈલ માતા મંદિર ટેકરીઓ, હિમનદીઓ અને ચેનાબ નદી (ચંદ્રભાગા) ની ઉપનદીઓ સાથેની નિર્દોષ સુંદરતાને પણ પ્રતિબિંબિત કરે છે. આ વિસ્તારમાં ભોટ સમુદાય અને ઠાકુર સમુદાય વસે છે જે સાપની ઉપાસક છે અને મહારાજા રણબીર સિંહ દ્વારા કિશ્તવાડ તહસીલમાં ભળી ગયા હતા.
 
દર્શન માટે આવે છે હજારો લોકો 
દર વર્ષે હજારો લોકો, ખાસ કરીને જમ્મુ ક્ષેત્ર સાથે આ મંદિરમાં દર્શન માટે આવે છે. આ તીર્થયાત્રા દર વર્ષે ઓગસ્ટના મહિનામાં જ શરૂ થય છે. વર્ષ 1981 માં ભદ્રવાહ જમ્મુ ક્ષેત્રના ઠાકુર કુલવીર સિંહ આ મંદિરના દર્શન માટે આવ્યા હતા. 1987 થી ઠાકુર કુલવીર સિંહે છડી યાત્રા શરૂ કરી. આ યાત્રા દર વર્ષે થાય છે.  

વેબદુનિયા પર વાંચો