ઓપરેશન સિંદૂર પછી, ભારત પર ફરી એકવાર પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પંજાબના ફિરોઝપુરમાં રહેણાંક વિસ્તાર પર પાકિસ્તાની ડ્રોન પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પાકિસ્તાનના ડ્રોન હુમલાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. સાયરન અને વિસ્ફોટોના અવાજ વચ્ચે ડ્રોન એક ઘર સાથે અથડાયું. એક દિવસ પહેલા, પાકિસ્તાને 36 સ્થળોએ 300 ડ્રોન છોડ્યા હતા. શુક્રવારે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે આ ડ્રોન તુર્કીના છે. જેનો ઉપયોગ પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે કર્યો હતો.