હવામાન વિભાગે ચક્રવાત મોન્થાની અસરને કારણે આગામી પાંચ દિવસ સુધી બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. જોકે, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં વાદળોની થોડી હિલચાલ સિવાય વરસાદની શક્યતા ઓછી છે. ચક્રવાત મોન્થા સક્રિય થવાને કારણે સ્કાયમેટે અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે.