તબલીગી જમાતે કોરોનાના સંકટને વધાર્યુ, સરકારે હોટસ્પોટ માટે વિશેષ રણનીતિ બનાવી

સોમવાર, 6 એપ્રિલ 2020 (09:44 IST)
અન્ય તમામ દેશોની તુલનામાં, ભારતમાં સમય રહેતા દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, આ લોકડાઉનના દમ પર દેશે કોરોનાના વિરુદ્ધ યુદ્ધમાં પોતાની સ્થિતિને ઘણી મજબૂત પણ કરી લીધી હતી.  પરંતુ આ સંપૂર્ણ કોશિશને તબલીગી જમાતે પોતાની એક ભૂલથી કમજોર કરે3એ નાખી. આંકડા  આ વાતનો પુરાવો છે કે જો તબલીગી જમાત સાથે જોડાયેલા સંક્રમણના મામલા ન આવ્યા હોત તો દેશમાં કુલ મામલા વધવાની ગતિ અડધી હોત.  જો કે રાહતની વાત છે કે હજુ પણ  તબલીગી જમાતને જોવામાં આવે તો સ્થિતિ ઘણી નિયંત્રણમાં છે. 
 
કોરોના દર્દીઓની કુલ સંખ્યાના ત્રીજા ભાગના તબલીગી જમાતના 
 
આરોગ્ય મંત્રાલયને દેશમાં પરિસ્થિતિ કાબુમાં રહેવાની સંપૂર્ણ આશા છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા મુજબ, હાલમાં ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા બમણી કરવામાં 4.1 દિવસનો સમય લાગી રહ્યો છે.  જો તેમાંથી તબલીગી જમાતનાં દર્દીઓને દૂર કરવામાં આવે તો આ ગતિ હજી અડધી છે. તબલીગી જમાત સિવાય અન્ય દર્દીઓની સંખ્યા બમણા કરવામાં 7.4 દિવસનો સમય લાગી રહ્યો છે. નોંધનીય છે કે દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યામાં ત્રીજા ભાગ એકલા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે.
 
તપાસની યોગ્ય રણનીતિ 
 
તેમ છતાં, આરોગ્ય મંત્રાલયે હાલ કોઈ ડેટા આપ્યો નથી, પરંતુ અગ્રવાલે દાવો કર્યો હતો કે લોકડાઉન થયા પછીથી દરરોજ દર્દીઓની ટકાવારીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસને લઈને ટેસ્ટિંગ ગાઈડલાઈંસને યોગ્ય બતાવતા સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર એવા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં કોરોનાના લક્ષણો હતા. તેમાથી માત્ર ત્રણ ટકા દર્દીઓમાં કોરોના વાયરસ જોવા મળ્યો. 
 
કોઈ સમુદાય સંક્રમણ નથી
 
જર્મની, ઇટાલી, ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાં જેમણે માસ ટેસ્ટિંગનો રસ્તો અપનાવ્યો. ત્યા પણ કુલ પરીક્ષણના માત્ર ત્રણ ટકા લોકોમાં જ કોરોના વાયરસ મળ્યાં છે. તેનાથી એ પણ સાબિત થાય  છે કે કોરોનાનો વાયરસ ભારતમાં હજુ સુધી કમ્યુનિટી ટ્રાંસમિશનના સ્તર સુધી પહોંચ્યો નથી.
પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)ની કમી અંગે અગ્રવાલે કહ્યું હતું કે સરકાર તે અન્ય દેશોમાંથી પણ ખરીદી રહી છે. ઉપરાંત, સમાજ સેવા સંબંધિત ઘણી સંસ્થાઓ પણ સપ્લાય વધારવામાં મદદ કરી રહી છે.
 
 
હોટસ્પોટ્સ માટે વિશેષ રણનીતિ 
 
લોકડાઉનના અંતિમ તબક્કામાં પહોંચ્યા પછી અને કોરોનાથી અસરગ્રસ્ત હોટસ્પોટ્સવાળા વિસ્તારોની સ્પષ્ટ ઓળખ થયા પછી, આરોગ્ય મંત્રાલય ટેસ્ટિંગ  માટેની રણનીતિમાં ફેરફાર કરતા  માસ ટેસ્ટિંગની તૈયારીમાં લાગી ગયુ છે.  હોટસ્પોટ્સવાળા વિસ્તારોમાં કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે 
ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR) એ શનિવારે એક વિસ્તૃત કન્ટેન્ટ પ્લાન સાથે લોકોની માસ ટેસ્ટિંગ માટે એન્ટિબોડી આધારિત ટેસ્ટિંગ માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી. આઇસીએમઆરના ડોક્ટર રમન ગંગાખેડકરે કહ્યું કે બુધવારે આ વિસ્તારોમાં ટેસ્ટિંગ કીટ પહોંચી જશે.  તે પછી, માર્ગદર્શિકાના આધારે પરીક્ષણ શરૂ કરવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર