વાયુ પ્રદૂષણ સામે લડવા માટે દિલ્હી સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હી સરકારે અસરગ્રસ્ત મજૂરોને 10,000 નું વળતર આપવાની જાહેરાત કરી છે. કામ કરતા વ્યાવસાયિકો માટે પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સરકારે ઓફિસોને 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.