કોરોના કેસ વધતા - કોરોના મુદ્દે કેન્દ્રના નવા આદેશ

ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (18:12 IST)
દેશમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 90,928 નવા કેસ નોંધાયા છે. ત્યાં 19,206 સાજા થયા અને 325 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા. જે બાદ કેસની કુલ સંખ્યા 3,51,09,286 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 2,85,401 છે. જે બાદ કુલ 3,43,41,009 લોકો રિકવર થયા હતા
 
રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રએ જરૂરી સ્ટાફ, ડૉક્ટરો, મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની જરૂરિયાત, હોમ આઇસોલેશનમાં દર્દીઓને આઉટબાઉન્ડ કૉલ કરવાની સાથે કોવિડ મેનેજમેન્ટ માટે જિલ્લા, ઉપ-જિલ્લા કંટ્રોલ રૂમ સ્થાપિત કરવા માટે કહ્યું છે.
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને કોવિડ 19ના તમામ નિયમોનું પાલન કરવા કહ્યું 
તેમણે કહ્યું કે, કોરોના કેસ ઘણા વધી રહ્યા છે.
લોકોને કોરોનાના નિયમોનું પાલન કરાવવું જોઈએ.
 
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનથી ખરાબ હાલત
દેશમાં ઓમિક્રોનના મામલાની કુલ સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 અને 465 મામલા સામે આવ્યા છે. ઓમિક્રોનના 3630 દર્દીઓમાંથી 995 દર્દી રિકવર થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની માહિતી આપી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર