Ayodhya Train- અયોધ્યા કેન્ટથી નવી દિલ્હી જતી ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સમાચાર બાદ સમગ્ર ટ્રેનમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રેનને ઉતાવળમાં બારાબંકી સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. તમામ મુસાફરોને તેમના સામાન સાથે ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. ટ્રેન લગભગ 2 કલાક સુધી બારાબંકી રેલવે સ્ટેશન પર ઉભી રહી હતી. સંપૂર્ણ ચેકિંગ બાદ ટ્રેનને નવી દિલ્હી મોકલવામાં આવી હતી.
શૌચાલયમાં ધમકી લખેલી હતી
બારાબંકીના આસિસ્ટન્ટ સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ પીયૂષ વર્માનું કહેવું છે કે રેલવે કંટ્રોલ રૂમને આ માહિતી મળી હતી. આ ઘટના શુક્રવારે સાંજે 7 વાગ્યે બની હતી. ટ્રેનના ટોયલેટમાં બોમ્બની ધમકી લખેલી હતી. ધમકી અનુસાર, ટ્રેનના સ્લીપર કોચમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે, જે લખનૌ ચારબાગ સ્ટેશન પર વિસ્ફોટ કરશે.