ગુજરાત બાદ બિહારમાં પણ લઠ્ઠાકાંડ?

રવિવાર, 14 ઑગસ્ટ 2022 (11:13 IST)
બિહારના સારણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કથિતપણે ઝેરી દારૂ પીવાથી છથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
 
ગયા અઠવાડિયે આ જ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સારણના એસપી સંતોષકુમારે કહ્યું, "10 ઑગસ્ટથી અત્યાર સુધી સારણના મસૂધીમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. ગ્રામજનોનો દાવો છે કે આ લોકોએ ઝેરી દારૂ પીધો હતો. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે."
 
તેમણે કહ્યું કે ઝેરી દારૂ વેચનારાઓને પકડવા માટે અભિયાન છેડવામાં આવ્યું છે. બિહારમાં દારૂબંધી હોવા છતાં ગત નવેમ્બરથી અત્યાર સુધી ઝેરી દારૂ પીવાથી રાજ્યમાં 60 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
 
ઉલ્લેખનીય છે તાજેતરમાં જ દેશમાં દારૂબંધી ધરાવતા અન્ય એક રાજ્ય ગુજરાતમાં પણ લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં આશરે 40 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર