મહારાષ્ટ્રમાં COVID-19 કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, રવિવારે રાજ્યમાં કોરોનાના 65 નવા કેસ નોંધાયા હતા. આમાંથી 22 કેસ મુંબઈના, 25 પુણેના, 9 થાણેના, 6 પિંપરી-ચિંચવડના, 2 કોલ્હાપુરના અને એક નાગપુરનો છે. જોકે, રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં 300 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 506 થઈ ગઈ છે, અને આરોગ્ય વિભાગે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.