મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ ઍન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓનાં મોત

ગુરુવાર, 18 જુલાઈ 2024 (10:51 IST)
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં થયેલાં પોલીસ એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ માર્યા ગયા છે.
 
આ ઍન્કાઉન્ટર છત્તીસગઢ અને મહારાષ્ટ્રના બૉર્ડરવાળા વિસ્તારમાં થયું.
 
આ ઍન્કાઉન્ટર ગઢચિરૌલીના ઝારવંડી પોલીસ સ્ટેશન હેઠળ આવતા છિંદભટ્ટી અને છત્તીસગઢના કાંકેર પોલીસ સ્ટેશન વચ્ચે આવેલા જંગલોમાં બુધવારે બપોરે દોઢથી બે વાગ્યા દરમિયાન થયું હતું.
 
અહેવાલો પ્રમાણે, આ ઍન્કાઉન્ટરમાં એક પોલીસકર્મીને પણ ગોળી લાગી હતી. સમાચાર એજન્સીઓની માહિતી પ્રમાણે બપોરે શરૂ થયેલું આ ઍન્કાઉન્ટર મોડી સાંજ સુધી ચાલ્યું હતું.
 
છત્તીસગઢ પોલીસે એક નિવેદનમાં કહ્યું, “બંને પક્ષો વચ્ચે છ કલાક સુધી ગોળીબાર થયો. ત્યારબાદ આ વિસ્તાર સર્ચ કરવામાં આવ્યો. આ સર્ચ દરમિયાન 12 માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઉપરાંત ત્રણ એકે-47, એક કાર્બાઇન, એક એસએલઆર સહિત સાત ઑટોમેટિક હથિયારો મળી આવ્યા હતા.”
 
મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે માઓવાદીઓ સાથેના ઍન્કાઉન્ટરમાં 12 માઓવાદીના મોતની જાણકારી આપી હતી.
 
તેમણે મહારાષ્ટ્ર સરકાર તરફથી ગઢચિરૌલી પોલીસ માટે 51 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર