ઓડિશાના જગતસિંહપુર જિલ્લામાં એક દુ:ખદ ઘટના બની છે, જ્યાં ૭૭મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ નીચે ઉતારતી વખતે વીજળીનો કરંટ લાગવાથી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ ઓમ પ્રકાશ દ્વિવેદી તરીકે થઈ છે, જે સગીર અને ધોરણ ૧૦ નો વિદ્યાર્થી છે.