અમરનાથ યાત્રામાં ઘાયલની સંખ્યા વધીને 8 થઈ, વધુ એક ગુજરાતી મહિલાનું મોત

રવિવાર, 16 જુલાઈ 2017 (12:51 IST)
શ્રીનગરથી કટરા જતી વલસાડના 58 યાત્રાળુઓની બસ પર અનંતનાગ પાસે હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં સાત યાત્રાળુઓનાં મોત થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલામાં ઘાયલ એક ગુજરાતી મહિલાનું કાલે રાતે એક ગુજરાતી મહિલા લલિતાબેનનું દરમિયાન મોત થયું હતું. 47 વર્ષીય લલિતાબેન મૂળ વલસાડના વતની છે. તેમના મૃતદેહને શ્રીનગરથી વલસાડ લાવવામાં આવશે.  અમરનાથ હુમલામાં મૃત્યુંઆંક 8 થઇ ગયો છે.
 
અમરનાથ યાત્રિઓ પર આતંકી હુમલામાં મરનારની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. કાલે રાતે એક ગુજરાતી મહિલા લલિતાબેનનું મૃત્યું થયું છે. લલીતાબાનું શ્રીનગરની સિરે કાશ્મીર હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. આ પહેલા હુમલામાં 7 લોકો મૃત્યું પામ્યાં છે અને 19 જણ ઈજાગ્રસ્ત થયા હતાં.

વેબદુનિયા પર વાંચો