આ દરમિયાન મોદી દુનિયાની 20 વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના સમુહના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મ્યામાંરની રાજધાનીમાં આસિયાન ભારત અને પૂર્વી એશિયા સંમેલનોમાં ભાગ લીધા પછી મોદી ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના માટે રવાના થયા હતા. પૂર્વી એશિયા સંમેલનમાં મોદીએ કહ્યુ કે વૈશ્વિક સમુહે પણ બધા પ્રકારની આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ જંગમાં સ્વાભાવિક આંતરરાષ્ટ્રીય ભાગીદારી બનાવતા ધર્મ અને આતંકવાદ વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધને રદ્દ કરવા જોઈએ.
ભારત-આસિયાન સંબંધો પર મોદીએ કહ્યુ કે આ સંબંધોમાં પરેશાની નથી અને તે ખૂબ સારા ભાગીદાર બની શકે છે. શિખર સંમેલનો સિવાય મોદીએ ચીનના પ્રધાનમંત્રી લી ક્વિંગ .. મલેશિયાઈ સમકક્ષ નજીબ રજાક રૂસના પ્રધાનમંત્રી દમિત્રી મેદવેદેવ અને થાઈલેંડના સમકક્ષ જનરલ પ્રયુક્ત ચાનઓચા સાથે મુલાકાત કરી. બ્રિસ્બેનમાં જી20 શિખર સંમેલનમાં મોદીએ પોતાના ભાષણમાં રોજગારવિહિન વૃદ્ધિ પર પોતાની ચિંતાઓ વ્યક્ત કરશે.