. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે બીજેપીની ઓફિસમાં પત્રકારો સાથે મુલાકાત કરી રહ્યા છે. દિવાળી મંગળ મિલન કાર્યક્રમમા ભાગ લેવા માટે અનેક પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર છે. પીએમે કહ્યુ કે પત્રકારો સાથે મારો મૈત્રીપુર્ણ વ્યવ્હાર રહ્યો છે. તેમણે સ્વચ્છતા અભિયાન પ્રતિ જાગૃતતા ફેલાવવા મીડિયાનો આભાર વ્યક્ત કર્યો.
અહી 400-500 પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમા અનેક મીડિયા સંસ્થાનોના સંપાદક પણ જોડાયા છે. મોદીના વિદેશી પ્રવાસ સહિતના તમામ મુદ્દા છે જેના પર પત્રકાર પીએમ મોદીને સવાલ કરી તેમનો દ્રષ્ટિકોણ જાણવા માંગે છે. આજે પત્રકારોને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી કાલે મતલબ 26 ઓક્ટોબરના રોજ એનડીએના સાંસદોને ડિનર આપશે. આ બંને કાર્યક્રમ દિવાળી મિલન સમારોહના હેઠળ આયોજીત કરવામાં આવી રહ્યો છે.