Fact Check- 1 ઓક્ટોબરથી આખા દેશના સિનેમા હોલ ખુલશે? સત્ય જાણો

સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (22:00 IST)
કોરોના રોગચાળાને કારણે માર્ચથી બધા સિનેમા હોલ બંધ થઈ ગયા છે. તાજેતરમાં પ્રકાશિત અનલોક -4 માર્ગદર્શિકામાં, સિનેમા હોલ / થિયેટરોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આખા દેશમાં જલ્દીથી સિનેમા હોલ ખુલવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ પરથી કહેવામાં આવી રહ્યું છે કે 1 ઓક્ટોબરથી આખા દેશમાં સિનેમા હોલ ફરી ખુલશે.
 
સત્ય શું છે
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ વાયરલ થયેલા સમાચારને નકારી દીધા છે. પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે ગૃહ મંત્રાલય દ્વારા સિનેમા હોલને ફરીથી ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર