પંચતંત્રની વાર્તા- બ્રાહ્મણનું સપનું

શુક્રવાર, 20 મે 2022 (18:00 IST)
એક સમયની વાત છે કોઈ શહેરમાં એક કંજૂસ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તેને ભિક્ષામાં જે સત્તૂ મળ્યો તેમાંથી થોડો ખાઈને બાકીનો તેને એક મટકામાં ભરીને મૂકી દીધો. પછી તેને તે મટકાને ખૂંટા પર લટકાવી દીધું અને પાસે જ ખાટલો નાખીને સૂઈ ગયો. સૂતા-સૂતા તે સપનાની અનોખી દુનિયામાં ખોઈ ગયો અને અજીબ કલ્પનાઓ કરવા લાગ્યો. 
 
તે વિચારવા લાગ્યો કે જ્યારે શહરમાં અકાલ પડશે તો સત્તૂની કીમત 100 રૂપિયા થઈ જશે. હું સત્તૂ વેચીને બકરીઓ ખરીદી લઈશ. પછી તે બકરીઓને વેચી ગાય ખરીદીશ. ત્યારબાદ ભેંસ અને ઘોડા પણ ખરીદીશ. 
કંજૂસ બ્રાહ્મણ કલ્પનાઓની વિચિત્ર દુનિયામાં પૂર્ણરૂપથી ગુમી ગયો હતો. તેને વિચાર્યુ કે ઘોડાને સારા મૂલ્યથી વેચીને ખૂબ સોનો ખરીદી લઈશ. પછી સોનાને સારા મૂલ્ય પર વેચીને મોટો ઘર બનાવીશ. મારી સંપત્તિ જોઈને કોઈ પણ તેમની દીકરીનો લગ્ન મારાથી કરી નાખશે. લગ્ન પછી મારો જે બાળક થશે. હું તેમનો નામ મંગળ રાખીશ. ફરી જ્યારે મારા બાળક તેમના પગે ચાલવા લાગશે, તો હુ દૂરથી તેને રમતા જોઈને આનંદ લઈશ. જ્યારે બાળક મને પરેશાન કરવા લાગશે, તો હું પત્નીથી બોલીશ કે તૂ બાળકને સારી રીતે સંભાળી પણ નહી 
શકે. જો તે ઘરના કામમાં વ્યસ્ત થશે અને મારી વાતનો પાલન નહી કરશે ત્યારે હુ ગુસ્સામાં ઉઠીને તેની પાસે જઈશ અને તેને પગથી ઠોકર મારીશ. આ બધી વાત-વિચારતા-વિચારતા બ્રાહણનો પગ ઉપર ઉઠે છે અને સત્તૂના ભરેલા મટકાને ઠોકર મારી નાખે છે. જેનાથી મટકો તૂટી જાય છે. આ રીતે સત્તૂથી ભરેલા મટકાની સાથે જ કંજૂસ બ્રાહ્મણનો સપનો પણ ચૂર-ચૂર થઈ જાય છે. 
 
શીખામણ  - 
આ વાર્તાથી શીખામણ મળે છે કે કોઈ પણ કામ કરતા સમયે મનમાં લાલચ નહી આવવો જોઈએ. લાલચનો ફળ કયારે મીઠો નહી હોય છે. સાથે જ માત્ર સપના જોવાથી સફળતા નહી મળે તેના માટે મેહનત કરવી 
પણ જરૂરી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર