દરેક માણસ પોતાનું કામ પોતાની સુવિધા પ્રમાણે કરે છે. પરંતુ એવા પણ લોકો છે જે શુભ મુહુર્ત જોયા વગર કોઈ કામ નથી કરતા. આ સંદર્ભમાં ત્રષિ- મહર્ષિ, મુનિયો,અને જ્યોતિષ પણ દરેક કામ મુહુર્ત મુજબ કરવાની સલાહ આપે છે. શુભ મુહુર્તમાં કામ કરવાથી કાર્ય પુર્ણ રૂપે સંપન્ન થવાની શક્યતા વધુ હોય છે.
આમ તો કોઈ પણ દિવસ ખરાબ નથી હોતો. આપણા ગ્રહોનો જ પ્રભાવ દિવસ ને સારો કે ખરાબ બનાવે છે. આવામાં મનમાં કોઈ પ્રકારની શંકા હોય અને તમે કોઈ શુભ કામ માટે ઘરથી બાહર નીકળતા હોય તો કઈંક એવું અજમાવો,જે તમારા દિવસને શુભ બનાવવામાં તમારી મદદ કરે.