રાખી રહ્યા છો કૃષ્ણ જન્માષ્ટમીનો વ્રત, જરૂર રાખો આ નિયમોનો ધ્યાન

રવિવાર, 9 ઑગસ્ટ 2020 (18:17 IST)
જ્યારે જ્યારે ધરતી પર ધર્મનો પતન હોય છે ત્યારે ત્યારે ભગવાન માણસના રૂપમાં ધરતી પર અવતાર લે છે. કૃષ્ણ આઠમ તિથિ એટલે કે જન્માષ્ટમીએ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપમાં અવતાર લીધું. આ દિવસે ભગવાન પૃથ્વી પર આવ્યા હતા. તેથી આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે. આ દિવસે બધા લોકો 12 વાગ્યા સુધી વ્રત રાખે છે. આવો જાણી કેવી રીતે કરાય છે વ્રતની તૈયારીઓ અને શું છે નિયમ? 
ALSO READ: ઘરમાં વાંસળી મૂકવાના 8 ફાયદા, તમે પણ જાણો
મથુરા વૃંદાવન સાથે ઉત્ત્ર પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં કૃષ્ણજન્મનો ન નહી પણ કૃષ્ણ જન્મોત્સવનો વ્રત રાખે છે. અહીં અષ્ટમીની સાથે નવમી વ્યાપિની તિથિમાં પણ વ્રત રખાય છે . 
ALSO READ: આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી
આ છે નિયમ 
-જન્માષ્ટમીના વ્રતથી પહેલા રાત્રે હળવું ભોજન કરવું અને આવતા દિવસે બ્રહ્મચર્યના પૂર્ણ રૂપથી પાલન કરવું જોઈએ એવી માન્યતા છે. 
-ઉપવાસના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કાર્યથી નિવૃત થઈ ભગવાન કૃષ્ણનો ધ્યાન કરવું જોઈએ. 
-ભગવાનના ધ્યાન પછી તેના વ્રતનો સંકલ્પ લો અને પૂજાની તૈયારી કરવી જોઈએ. 
- આ દિવસે ભગવાન કૃષ્ણને માખણ-મિશ્રી, નારિયેળની બનેલી મિઠાઈનો ભોગ લગાય છે. 
- હાથમાં જળ, ફૂલ, ગંધ, કુશ, હાથમાં લઈને મમખિલપાપપ્રશમનપૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતમહ કરિષ્યે. આ મંત્રનો જાપ કરવું જોઈએ. 
- રાત્રે 12 વાગ્યે ભગવાન નો જન્મ કરવું. ત્યારબાદ તેમને પંચામૃતથી અભિષેક કરવું. તેમને નવા કપડા પહેરાવો અને તેમનો શ્રૃંગાર કરવું જોઈએ. 
- ભગવાનના ચંદનના ચાંદલો કરવો અને તેમને ભોગ લગાડો. તેના ભોગમાં તુલસીના પાન જરૂર નાખવા જોઈએ. 
- "નંદકે આનંદ ભયો જય કન્હૈયા લાલકી" ભગવાનને હિંડોળાંમાં બેસાડીને હિંચકે ઝૂલાવો જોઈએ. 
-  ભગવાન કૃષ્ણની ઘીના દીપક અને ધૂપબત્તીથી આરતી કરવી અને રાતભર મંગળ ગીત ગાવું જોઈએ. 
ALSO READ: જન્માષ્ટમી 2019- આ કારણે ભગવાન શ્રીકૃષ્ણને પસંદ છે માખણ -મિશ્રી અને 56 ભોગ
આવું ન કરવું 
જન્માષ્ટમીના વ્રત રાખનારને એક દિવસ પહેલાથી જ સદાચારનો પાલન કરવો જોઈ. જે આ વ્રત નહી રાખતા તેને પણ આ  દિવસે લસણ, ડુંગળી, રીંગણા, માંસ -મદિરા, પાન સોપારી અને તંબાકૂથી પરહેજ કરવું જોઈએ. વ્રત રાખનારના મનમાં ભગવાન કૃષ્ણના ધ્યાન શરૂથી કરવો જોઈ અને કામભાવ, ભોગ વિલાસથી પોતાને દૂર રાખવું જોઈએ. સાથે જ મૂળ મસૂરદાળના સેવનથી પણ દૂર રહેવું જોઈએ. મનમાં નકારાત્મક ભાવ ન આવવા દો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર