વજન વધારવામાં ઉપયોગી - જે લોકો પોતાનુ વજન વધારવા વિશે વિચારી રહ્યા છે. તેમને બતાવી દઈએ કે કિસમિસ તેમને માટે ખૂબ લાભકારી છે. કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જોવા મળે છે. જે એનર્જી આપવ સાથે સાથે વજન વધારવામાં પણ મદદગાર કરે છે. જો તમે યોગ્ય રીતે વજન વધારવા માંગો છો તો રાહ જોયા વગર આજથી જ કિસમિસ ખાવી શરૂ કરી દો.
પાચન તંત્ર સુધારે - રોજ કિસમિસનુ સેવન કરવાથી તમારો હાજમો ઠીક રહે છે અને પાચન તંત્ર પણ સુચારુ રૂપે કાર્ય કરે છે. કિશમિશ લૈક્સટિવના રૂપમાં કાર્ય કરે છે. આ પેટમાં જઈને પાણીને શોષી લે છે. જેના ફળસ્વરૂપ કબજિયાતથી રાહત મળે છે. કિશમિશમાં જોવા મળતા ફાઈબર ગૈસ્ટ્રોઈન્ટેસ્ટિનલ માર્ગથી વિષાક્ત અને અપશિષ્ટ પદાર્થોને બહાર કાઢવમાં મદદ કરે છે.
આંખો માટે ફાયદાકારી - કિસમિસમાં વિટામિન એ, એ-કૈરોટીનૉઈડ અને એ-બીટા કૈરોટીન રહેલુ હોય છે. જે આંખોને ફ્રી રૈડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. તેમા એંટી ઑક્સીડેંટ ગુણ પણ જોવા મળે છે. કિશમિશ ખાવાથી મોતિયાબિંદ વય વધવાને કારણે આંખોમાં થનારી નબળાઈ, મસલ્સ ડૈમેજ વગેરે થતા નથી.