- આગથી ત્વચા બળી ગઈ હોય તો કાચા ગાજરને પીસીને લગાવવાથી તરત જ લાભ થાય છે અને બળેલા ભાગ પર ઠંડક થઈ જાય છે.
- મગજને મજબુત બનાવવા માટે ગાજરના મુરબ્બાને રોજ સવારે ખાવો જોઈએ.
- જેમને બ્લડપ્રેશરની પ્રોબલમ હોય તેમણે ગાજરના રસમાં મધ ભેળવીને પીવું જોઈએ.
- ગાજરનો રસ, ટામેટાનો રસ, સંતરાનો રસ અને બીટનો રસ પચીસ ગ્રામની માત્રામાં રોજ લેવાથી બે મહિનામાં ખીલ, ડાઘ અને કરચલીઓ વગેરે દૂર થઈ જશે.
- જેમને પથરીની તકલીફ હોય તેમને રોજ ગાજર, કાકડી અને બીટનો રસ સમાન માત્રામાં લેવો જોઈએ.
- ગાજરના સેવનથી ઉદર રોગ, કફ તેમજ કબજીયાતનો નાશ થાય છે અને આંતરડામાં જામેલ મેલ ઝડપથી દૂર થઈ જાય છે.
- બાળકોને કાચા ગાજર ખવડાવવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
- ગાજરનું રોજ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને લોહ તત્વોની માત્રા વધે છે.