ભગવાન રામ અને હનુમાનજીનો જ્ન્મ કેવી રીતે થયું

મંગળવાર, 27 માર્ચ 2018 (16:08 IST)
ભગવાન રામના જ્ન્મ પછી જાણો કેવી રીતે થયો હનુમાનજીનો જ્ન્મ . રામ અને હનુમાનજી વચ્ચે સ્વામી અને સેવકનો સંબંધ  છે કે પછી કોઈ નિકટનો સંબંધ હતો. 
 
એક માન્યતા મુજબ હનુમાનજી કોશ્લ્યા અને દશરથના પુત્ર ન હતા પણ રામ અને હનુમાન વચ્ચે ભરત ,લક્ષ્મણ અને શત્રુઘ્નની જેમ ભાઈ-ભાઈનો સંબંધ હતો. 
 
હનુમાન ચાલીસામાં લખ્યું છે કે ભગવાન રામ હનુમાનજીને  કહે છે કે "તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ " એટલે હે હનુમાન તમે મને ભરત સમાન જ પ્રિય છો. 
 
રામજીના આટલા કહેવાથી રામાયણની કથા જ્ઞાત થાય છે. 
 
આ રીતે ભગવાન રામ અને હનુમાનજીનો જ્ન્મ થયો 
 
રામાયણમાં એક કથા છે કે રાજા દશરથની ત્રણ રાણી હતી પણ સંતાન સુખના અભાવને કારણે દશરથજી દુ:ખી હતા. ગુરૂ વશિષ્ટની આજ્ઞાથી દશરથજીએ શ્રૃંગ ઋષિને પુત્રેષ્ટિ  યજ્ઞ કરવા આમંત્રણ કર્યું . 
 
યજ્ઞના સંપન્ના થતાં જ અગ્નિકુંડમાંથી દિવ્ય ખીરથી ભરેલો સ્વર્ણ પાત્ર હાથમાં લઈને અગ્નિ દેવ પ્રગટ થયાં અને દશરથને બોલ્યા 'દેવતા તમારા પર  પ્રસન્ન છે.' આ દિવ્ય ખીર તમારી રાનીઓને ખવડાવી દેશો તો તમને ચાર દિવ્ય પુત્રોની પ્રાપ્તિ થશે. 
 
રાજા દશરથ શીઘ્રતાથી પોતાના મહેલમાં પહોચ્યા અને તેમણે ખીરનો અડધો ભાગ રાની કૌશ્લ્યાને આપી દીધો અને બાકીનો  .  અડધો ભાગ સુમિત્રાને આપ્યો અને પછી શેષ રહેલો ભાગ કૈકયીને આપ્યો. સૌથી છેલ્લે પ્રસાદ મળવાથી કૈકૈયીએ ગુસ્સામાં  દશરથને કઠોર શબ્દ કહ્યાં.  
આ રીતે ગર્ભવતી થઈ અંજના અને હનુમાનજીનો જન્મ થયો  
 
તે  સમયે ભગવાન શંકરની પ્રેરણાથી એક ગીધ ત્યાં આવી અને કૈકયીના હાથમાંથી પ્રસાદ ઉઠાવીને અંજન પર્વત પર તપસ્યામાં લીન અંજની દેવીના હાથમાં મુકી દીધો. પ્રસાદ ગ્રહણ કરવાથી અંજની પણ રાજા દશરથની ત્રણ રાણીની જેમ ગર્ભવતી થઈ ગઈ. સમય આવતા દશરથના ઘરે રામ,ભરત,લક્ષ્મણ અને શત્રુઘ્નનો જ્ન્મ થયો તો બીજી બાજુ અંજનિએ શ્રી હનુમાનજીને જ્ન્મ આપ્યો.  

આ રીતે પ્રગટ થયા સંકટ અને દુખ દૂર કરવાવાળા રામ અને હનુમાન. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર