- દૂધીનો હલવો બનાવતી વખતે જો તેમા મલાઈ નાખીને સેકવામાં આવે તો હલવો વધુ સ્વાદિષ્ટ બનશે.
- દહી વડા બનાવતી વખતે વાટેલી દાળમાં થોડુ દહી મિક્સ કરીને ફેંટવામાં આવે તો દહી વડા વધુ સ્વાદિષ્ટ નએ મુલાયમ બનશે.
- મગનીદાળના ચીલા બનાવતી વખતે 2 મોટી ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. તેનાથી ચીલા કુરકુરા બનશે.
- દૂધ કે ખીર બળી જાય તો તેમા 2-3 નાગરવેલના પાન નાખીને ગરમ કરવાથી બળવાની દુર્ગંધ જતી રહેશે.