સરકારી સિસ્ટમમાં જયાં વિશિષ્ઠ પ્રકારની કામગીરી હોય, સુરક્ષા કે ગોપ્નીયતા, સમયની અનિશ્ર્ચિતતા કે આકસ્મિક જરિયાત જેવી સેવાઓ સંકળાયેલી હોય ત્યા આઉટ સોર્સિંગ શકય નથી. આથી, આવી તમામ વર્ગ-4ની જગ્યાઓ કાયમી ભરતીથી ભરવા સામાન્ય વહિવટ વિભાગે નિર્ણય કર્યો છે. અત્યારસુધી આ વર્ગ-4ની આ જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવામાં આવતી હતી.
રાજ્ય સરકારની કચેરીઓમાં સાફસફાઈ, ફાઈલોની તબદિલી જેવી સેવાઓ આઉટ સોર્સિગથી લેવાય છે. સામાન્ય વહિવટ વિભાગે આ અંગે એક ઠરાવ પ્રસિધ્ધ કરીને સ્પષ્ટ કર્યુ છે કે, આઉટ સોર્સિગની નીતિની સમીક્ષા કરવા માટે સરકારે રચેલી સમિતિન ભલામણોને પગલે આ નિર્ણય લેવાયો છે. સરકારની તમામ કેચરીઓમાં વર્ગ-4ની કામગીરીની જગ્યામાં સેટઅપ્ની સમીક્ષા કરવા માટે નાણા અને સામાન્ય વહિવટ વિભાગના પાંચ સેક્રેટરીઓની એક સમિતિ બનાવાઈ છે. આ સમિતિ પટાવાળા, ડ્રાઈવર, શિરસ્તેદાર, ફાઈલ તબદિલ કરનારથી લઈને અનેક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા વર્ગ-4ના કર્મચારીઓની જગ્યાઓમાં કોઈ જગ્યાને આઉટ સોર્સિંગથી યથાવત રાખવી અને કયાં કાયમી ભરતી કરવી તેની અલગ તારવણી કરશે. સરકારના સંયુકત સચિવ દેવીબહેન પંડયાની સહીથી સમિતિના કાયર્વિકાશમાં જણાવાયું છે. વર્ગ-4માં કઈ જગ્યાઓ કાયમી ભરતીઓ ચાલુ રાખવી તે મુદે સરકારે રચેલી પાંચ સેક્રેટરીઓની સમિતિને 30મી નવેમ્બર સુધીમાં રિપોર્ટ સબમીટ કરવાનો આદેશ સરકારના સંયુકત સચિવ દેવીબહેન પંડયાએ કર્યો છે.