મને ન્યાય નથી મળ્યો - જકિયા જાફરી
કોર્ટના નિર્ણય પર જકિયા જાફરીએ કહ્યુ કે હુ આ સજાથી સંતુષ્ટ નથી. ઓછી સજા મળી છે. મને ફરી તૈયારી કરવી પડશે. વકીલોની સલાહ લઈને આગળ વધીશ. મને ન્યાય નથી મળ્યો.
તેમણે જણાવ્યુકે સવારે 7 વાગ્યાથી આ બધુ શરૂ થયુ. હુ ત્યા જ હતી. મેં બધાને મારી આંખોથી જોયા. મારી સામે આટલી નિર્દયતાથી લોકોને સળગાવવામાં આવ્યા. મારા પતિ અહેસાન જાફરીને પણ સળગાવી દેવામાં આવ્યા. શુ આવા લોકોને આટલી ઓછા સજા મળવી જોઈએ. આ ન્યાય નથી. મોટાભાગના લોકોને છોડવામાં આવ્યા છે. બધાને ઉંમરકેદની સજા થવી જોઈએ.
આગળ અપીલ કરીશુ - તીસ્તા સીતલવાડ
સામાજીક કાર્યકર્તા તીસ્તા સીતલવાડે કહ્યુ કે આ જજમેંટથી નિરાશા મળી છે. 11 લોકો પર ગંભીર આરોપ હતા તો તેમન ઉંમરકેદની સજા થવી જોઈતી હતી, પણ 12 લોકોએન ફક્ત 7 વર્ષની સજા આપવી યોગ્ય નથી. કલાકો ઉભા રહીને દોષીઓએ લોકોને સળગાવ્યા. મારા હિસાબથી આ વીક જજમેંટ છે. તેના પર અમે આગળ અપીલ કરીશુ.