ભારતિય પ્રાચીન યોગવિદ્યાને સંયુક્તો રાષ્ટ્રી સંઘ દ્વારા વૈશ્વિક વિરાસતમાં સમાવવામાં આવી છે. વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. આ દિવસે વિશ્વના દેશોમાં યોગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. ગત્ ૨૧મી જૂને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં અને યોગનું દર્શન-નિદર્શન કરી તેનો સાક્ષાત્કાર કરાવવામાં ભારતે રાષ્ટ્રીય આયોજન કર્યું હતું.
શારિરીક અને માનસિક તંદુરસ્તી અને હળવાશ મેળવવા યોગ સચોટ સાબિત થાય છે. તે અનેક બીમારીઓથી પણ બચાવે છે અને શરીરને સુસ્ત-તંદુરસ્ત અને સુંદર રાખે છે. યોગ કરવાથી વહેલા વૃદ્ધત્વનો સામનો કરવો પડતો નથી. યાદશક્તિ સારી રહે છે, મગજ પણ ઝડપથી કામ કરે છે. આ સિવાય ડિપ્રેશન જેવી બીમારીઓથી પણ બચી જવાય છે. યોગ અને ધ્યાનથી જીવન તણાવમુક્ત થાય છે, ચિંતાઓ દૂર થાય છે.