જામનગરમાં મતદાન કરવાની અપીલ કરતી પણ જેની બોલી લગ્નની કંકોતરી જેવી હોય એવી એક આદમકદની કંકોતરી જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં મૂકી છે જેમાં બુધવારે મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. આ કંકોતરીમાં હસ્તમેળાપ, માંગલિક પ્રસંગો, પ્રીતિ ભોજન અને ટહુકો સુધ્ધાં લખવામાં આવ્યો છે. આ કંકોતરી વાંચવા માટે રસ્તા પરથી પસાર થતા લોકો રીતસર ઊભા રહે છે અને એ કંકોતરી વાંચે છે. કંકોતરીને જે રીતે રિસ્પૉન્સ મળ્યો છે એ જોઈને શહેરના અન્ય ચાર મહત્વના પૉઇન્ટ પર પણ આ પ્રકારની કંકોતરી મૂકવાનું નક્કી કર્યું છે.