ગુજરાત : ધોરણ 8ને પ્રાથમિક શિક્ષણમાં લેવા સરકારનો નિર્ણય

શુક્રવાર, 13 જુલાઈ 2012 (11:25 IST)
P.R
જૂન 2012 થી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ 8ના તમામ વર્ગો બંધ થશે અને શિક્ષણ વિભાગના તા 7-4-11ના ઠરાવથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2011-12ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8ના નવા વર્ગો શરૂ કરવાની નીતિ નક્કી કરવામાં આવેલ છે. તે મુજબ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 ના નવા વર્ગો શરૂ કરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.

મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયરમ 2009 મુજબ ધોરણ 1થી 8નો પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ કરવાનો થાય છે અને આ કાયદાની કલમ 6 ની જોગવાઈ મુજબ, કાયદો અમલમાં આવ્યા તારીખથી ત્રણ વર્ષની અંદર તબક્કાવાર રીતે માધ્યમિક શાળાઓમાંથી ધોરણ-8 ને ખસેડીને પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે.

હાલ ધોરણ 8 પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા બંને વિભાગમાં ચાલે છે તેના કારણે બંને જગ્યાએ વિદ્યાર્થી સંખ્યા ખૂબ ઓછી હોય છે જે શાળા સંચાલનની દૃષ્ટિએ બિનકરકસરયુક્ત ગણાય આથી ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓમાં ધોરણ 8 ના વર્ગો બંધ કરવા અંગે સરકારે નીચે મુજબનો નિર્ણય કરેલ છે.

વેબદુનિયા પર વાંચો