અનુપમ ખેરે કહ્યુ કે તાજેતરમાં જ ઘટનાઓને જે રીતે વધારી ચઢાવીને રજુ કરવામાં આવી રહી છે તે દેશના સામાજીક તાણા બાણા માટે સંકટ બની ચુકી છે. પીએમ મોદીને કારણ વગર નિશાના પર લેવામાં આવી રહ્યા છે. દેશમા પહેલા પણ અનેક આવી ઘટનાઓ થઈ ચુકી છે પણ જે રીતે બૌદ્ધિક સમાજનો એક ભાગ સરકારનું અપમાન કરી રહ્યો છે એ રાજનીતિથી પ્રેરિત છે.