બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદનબાજીની ગરમાગરમીથી પારો દિવસો દિવસ વધતો જઈ રહ્યો છે. ગુરૂવારે સવારે એક પ્રેસ કોન્ફ્રેંસમાં આરજેડી નેતા લાલૂ યાદવે પીએમ મોદી, સંઘ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધ્યુ. આ પ્રેસ કોન્ફ્રેંસમાં લાલૂએ એક વાર ફરી ગાય પર થઈ રહેલ વિવાદને હવા આપી અને એ પણ કહ્યુ કે અમિત શાહ મોદીને ધક્કો મારીને પીએમ બનવા માંગે છે.