પુલ્લુવિલ્લાના ક્રોધિત નિવાસીઓએ કહ્યુ - અમે હવે ધીરજ ગુમાવી ચુક્યા છે. સરકાર કૂતરાને ન મારવાના કાયદાને લઈને જ લટકી રહી છે. શુ અમે આ કૂતરાથી પણ બદતર છીએ ? જે સમયે મહિલા પર આ કૂતરા હુમલો કરી ચુક્યા હતા એ સમયે તેમનુ પુત્ર પોતાની માને શોધતો ત્યા આવી પહોંચ્યો. ખુદને કૂતરાથી બચાવવા માટે તે સમુદ્રમાં કૂદી પડ્યો. શીલૂઅમ્માના મોતના એકાદ કલાક પછી જ 50 વર્ષના એક અન્ય વ્યક્તિ ડેઝી પણ કૂતરાના હુમલાનો શિકાર થયો. આ ઘટના નિકટના જ એક લોકેલિટીમાં બની.