નોટ બંદી નિમિત્તે સામાજિક સંસ્થા 'ગાંધી વિચાર મંચ' ની આયોજિત ‘કાવ્ય-સંધ્યા’ સફળતાપૂર્વક સંપન્ન

સોમવાર, 21 નવેમ્બર 2016 (11:27 IST)
આખા દેશમાં સરકાર દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંદી નિમિત્તે સામાજિક સંસ્થા 'ગાંધી વિચાર મંચ' દ્વારા ભવ્ય કવિ સમ્મલેન (કાવ્ય-સંધ્યા) 'કાગઝ કે તીન ટુકડે' નું આયોજન શનિવાર ૧૯ નવમ્બર ૨૦૧૬ ના અજંતા પાર્ટી હૉલ,ગોરેગાઁવ (વેસ્ટ),મુમ્બઈ ખાતે કરવામાં આવ્યું હતું.આ અવસરે ‘ગાંધી વિચાર મંચ’ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મનમોહન ગુપ્તા,ઉપાધ્યક્ષ શ્રીમતી સ્નેહલતા મનમોહન ગુપ્તા,શિવજી ગુપ્તા,ગ્લોબલ અડવેર્ર્ટાઇઝરના ડાયરેક્ટર અમિત ગુપ્તા,મહામંત્રી મિથલેશ મિશ્રા,અગ્રબન્ધુ સેવા સમિતિનું લક્ષ્મીનારાયણ અગ્રવાલ,ગોપાલ દાસ ગોયલ,બૃજકિશોર અગ્રવાલ,કાનબિહારી અગ્રવાલ, કાર્યક્રમને સંચાલક સુરેશ મિશ્ર,બાબૂલાલ અગ્રવાલ, સંયોજક જયપ્રકાશ પાણ્ડેય,બૃજમોહન અગ્રવાલ પણ કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

            આ અવસરે કવિ સુરેશ મિશ્ર,ગીતકાર હરિશ્વરચન્દ્ર, શ્રીમતી સુમિતા કેશવા, જવાહરલાલ નિર્ઝર, શ્રીમતી મીનૂ મદાન,શ્રીમતી પ્રમિલા શર્મા, મધુ શ્રૃંગી,મનમોહન ગુપ્તા,પ્રદીપ શર્મા,ફિરતુરામ યાદવ,શિલ્પા યાદવ,જાકિર હુસૈન,રમેશ શ્રીવાસ્તવ,શિવમ્ પાંડે જેવા કવિયોએ કાર્યક્રમને ચારચાંદ લગાવી દીધો. આ કાર્યક્રમમાં સંસ્થાના મનોજ ચૌધરી,શ્રુતિ ઔર ઈશ્વર સિંહ વ ગાંધી વિચાર મંચ અને અગ્રબન્ધુ સેવા સમિતિના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

વેબદુનિયા પર વાંચો