કેજરીવાલના પરિવારે કહ્યુ - આ રાજનીતિક મુલાકાત નથી
કેજરીવાલના પિતાનુ કહેવુ છે કે જ્યારે તેઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે સોમનાથ દર્શન માટે આવ્યા હતા. જોકે ગુજરાતમાં કેજરીવાલના પ્રવાસને લઈને થઈ રહેલ રાજનીતિ પર તેમનુ કહેવુ છે કે કોઈ અહી આવવા માંગતુ હોય તો તેને આવવા દેવુ જોઈએ. બીજી બાજુ અરવિંદની પત્નીએ કહ્યુ કે તેઓ જ્યોતિર્લિંગના દર્શન માટે આવ્યા છે.
કેજરીવાલે આનંદીબન પર સાધ્યુ નિશાન
આ અવસર પર કેજરીવાલ બોલ્યા કે સોમનાથ દર્શન માટે આવ્યો છુ. પહેલા સુરતમાં વેપારીઓને મળવાનુ હતુ પણ ખબર નહી કેમ આનંદીબેન સરકારે દબાણ બનાવીને મારી મીટિંગ કેન્સલ કરાવી દીધી. હવે સોમનાથ દર્શન કરીશ અને આવતીકાલે સવારે દિલ્હી પરત ફરીશ.