દેશના બાળકોનુ ભવિષ્ય બનાવવાની જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીના હાથમાં સોંપી છે એ ઈરાની રવિવારે રાજસ્થાન મુલાકાત દરમિયાન ભીલવાડાના કરોઈ ગામના પં. નાથુલાલ વ્યાસના રહેઠાણ પર જઈ પહોંચી. અને પોતાનો હાથ બતાવ્યો. સ્મૃતિ સાથે તેમના પતિ જુબિન પણ હતા. એવુ કહેવાય રહ્યુ છે કે જ્યોતિષિ સાથે સ્મૃતિ લગભગ 4 કલાક રહી.
સ્મૃતિએ હાથ બતાવતા જ્યોતિષીને પુછ્યુ કે મારુ રાજનીતિક કેરિયર કેવુ રહેશે. જેના જવાબમા પંડીતજીએ સ્લેટ ઉઠાવી અને ચોકથી મંત્રીજીના ભવિષ્યના આખર ઉકેલવા શરૂ કરી દીધા. તેમણે કહ્યુ કે જો હુ કશુ ન બનતી તો અહી ન આવી શકતી. અહી પહોંચતા પં વ્યાસે સ્મૃતિના માથે તિલક લગાવીને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યુ કે રાજનીતિક કેરિયરમાં તમારુ કદ ઉંચાઈઓ પર પહોંચશે.