યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનુ વર્ષ 2015-16નું ટર્નઓવર 5000 કરોડ રૂપિયા થઈ ગયુ છે. કંપનીએ આવતા વર્ષ માટે 10 હજાર કરોડનુ લક્ષ્ય મુક્યુ છે. બાબા રામદેવે મંગળવારે દિલ્હીમાં એક પ્રેસ કૉંન્ફ્રેંસમાં કંપનીના નવા આંકડા રજુ કર્યા.
રામદેવે કહ્યુ, "પતંજલિએ સેવા અને સિદ્ધાંતનો ખ્યાલ રકહ્યો છે. અમારા ઉત્પાદોથી ખેડૂતોને સમૃદ્ધિ વધી. ઓછી કિમંતમાં વિશ્વ સ્તરીય ગુણવત્તા અને એક લાખથી વધુ લોકોને રોજગાર આપ્યો. અમે નવુ બજાર ઉભુ કર્યુ. અમારા બ્રાંડની જાહેરાતોમાં અશ્લીલતા,સપના અને ગ્લેમર નથી હોતા."
રામદેવે દાવો કર્યો કે દેશી બ્રાંડે વિદેશી બ્રાંડોના બાર વગાડ્યા છે. તેમણે કહ્યુ કે ત્રણ કંપનીઓનુ ટૂંક સમયમાં જ શીર્ષાસન થઈ જશે. રામદેવ બોલ્યા, 'આગામી થોડા વર્ષોમાં પતંજલિના પ્રોડક્ટસની આગળ nestleના પક્ષી ઉડી જશે, colgateનો ગેટ બંધ થઈ જશે.'
આ છે બ્રાંડ પતંજલિ સાથે જોડાયેલ વિશેષ વાતો..
- વર્ષ 2015-16નું ટર્નઓવર - 5000 કરોડ, કંપની ઈંટરનેશનલ બ્રાંડસ્ને ટક્કર આપી રહી છે.
- વર્ષ 2016-17 માટે 10000 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય