અખિલેશ સરાકરના વિકાસ મંત્રી આઝમ ખાન દ્વારા તાજમહેલને વક્ફ સંપત્તિ જાહેર કરવાની માંગ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપેયીએ તેમને એક પડકાર આપ્યો. તેમણે કહ્યુ છે કે આઝમમાં હિમંત હોય તો તે તાજમહેલમા પાંચ સમયની નમાજ કરાવી બતાવે. વાજપેયીએ આઝમ પર આરોપ લગાવ્યો છે કે તેઓ વક્ફ સંપત્તિઓને સાચવી નથી શક્તા અને તાજમહેલ માંગી રહ્યા છે.