રાજદ્રોહના આરોપમાં જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતા મસર્રત આલમ ભટની ધરપકડના દિવસે આજે ત્રાલમાં બે યુવકોની મોતની ઘટનાના વિરોધમાં શ્રીનગરમાં હિંસા ભડકી ઉઠી અને નારાજ લોકોએ રાષ્ટ્રધ્વજ સળગાવ્યુ અને સુરક્ષાબળો સાથે તેમની ઝડપ થઈ. અધિકારિક સૂત્રોએ જણાવ્યુ કે રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરનુ નૌહટ્ટા વિસ્તાર જંગના મેદાન જેવો લાગી રહ્યો હતો. જ્યા નકાબપોશ પ્રદર્શનકારીઓએ ત્રિરંગો સળગાવ્યો. તેમના અને સુરક્ષાબળોની વચ્ચે ભયંકર ઝડપમાં બે પોલીસકર્મચારીઓ સહિત લગભગ 10-12 લોકો ઘાયલ થઈ ગયા.