સલમાનનો પરિવાર દેશભક્ત : શિવસેના

મંગળવાર, 14 સપ્ટેમ્બર 2010 (19:45 IST)
N.D
શિવસેનાએ કહ્યુ કે સલમાન ખાનનો પરિવાર દેશભક્ત છે. 26/11ના મુંબઈ આતંકી હુમલા પર સલમાન ખાનની ટિપ્પણીનો રાષ્ટ્રવિરોધી કરાર આપવાના ફક્ત બે દિવસ પછી શિવસેનાએ મંગળવારે કહ્યુ કે અભિનેતાની વાતથી નારાજ હોવાનુ કારણ નથી કારણ કે તેમની ફેમિલી સાચે જ દેશભક્ત છે.

પાર્ટીના મુખપત્ર સામનામાં લખેલ સંપાદકીયમાં સેના પ્રમુખ ઠાકરેએ કહ્યુ કે સલમાન પર નારાજ થવાનુ કોઈ કારણ નથી. તેમનો પરિવાર સાચે જ દેશભક્ત છે. આતંકી હુમલાના અધિક પ્રચારને કારણે શ્રીમંતો પર થયેલ હુમલો બતાવનારી સલમાનની ટિપ્પણી પર ઠાકરેએ લખ્યુ, દેશભરમાં હલ્લા થયા પછી સલમાને માફી માંગી લીધી. તેમને એ લાગ્યુ હશે કે ગુસ્સો માત્ર શ્રીમંતોમાં જ નહી સામાન્ય લોકોમાં પણ હતો. તેમણે સંપાદકીયમાં કહ્યુ છે કે આ સારી વાત છે કે સલમાન શાહરૂખ જેવા હઠી નથી.

ફેબ્રુઆરીમાં શાહરૂખ ખાને આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને લેવા સંબંધી પોતાના નિવેદન પર માફી માંગી લીધી હતી. પરંતુ કહ્યુ હતુ કે તેમની માફી શિવ સેના પાસે નહી, જેમણે 'માઈ નેમ ઈઝ ખાન'ના ના પ્રદર્શનનો વિરોધ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો