ફક્ત એટલુ જ નહી પણ આ મેસેજમાં એ પણ લખ્યુ છે કે આગામી ભૂકંપ વધુ ભયાનક અને ખતરનાક રહેશે. અહી સુધી કે ભારતીય મોસમ વિભાગમાંથી પણ વોટ્સ એપ પર આ પ્રકારની ભૂકંપની ભવિષ્યવણીઓના મેસેજ આવી રહ્યા છે. જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે તો આ મેસેજને ફોરવર્ડ ન કરો . કારણ કે નાસાએ આવી કોઈ ભવિષ્યવાણી નથી કરી અને ના હી ભૂકંપની કોઈ ભવિષ્યવાણી કરી શકાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે શનિવારે નેપાળમાં આવેલ જોરદાર ભૂકંપથી ફક્ત નેપાળ જ નહી પણ ભારતને પણ હલાવી દીધુ. દરેક વ્યક્તિના દિલમાં એક દહેશત ઉભી કરી દીધી છે. બિહાર અને નેપાળમાં તો લોકો ખુલ્લા મેદાનમાં જ રાત વિતાવી રહ્યા છે. નેપાળમાં અત્યાર સુધી લગભગ 32 લોકોના મોત થઈ ગયા છે. ભૂકંપ પછી આફ્ટર શૉક્સ ચાલુ છે. જેનાથી લોકો દહેશતમાં છે. બીજીવાર ભૂકંપના ભયથી લોકો ઘરની બહાર મેદાન અને રસ્તાઓ પર તંબુ તાણીને રહેવા મજબૂર છે.