સુરક્ષા એજંસીઓથી મળેલ ઈનપુટના આધાર પર કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ડ્રોનથી અટેક કરવામાં આવી શકે છે. ઈંટેલીજેંસ એજંસીઓનુ કહેવુ છે કે પાકિસ્તાની ગુપ્ત એજંસી આઈ.એસ.આઈએ લશ્કર-એ-તોયબા અને જેશ-એ-મોહમ્મદને એક સાથે મળીને લાલ કિલ્લા પર મોદી પર ડ્રોનથી હુમલો કરવાનું ષડયંત્ર રચ્યુ છે.