આપ પાર્ટીની પૂર્વ નેતા શાજિયા ઈલ્મી ભાજપમાં જોડાશે ?

ગુરુવાર, 27 નવેમ્બર 2014 (12:56 IST)
આમ આદમી પાર્ટીની પૂર્વ નેતા શાજિયા ઈલ્મી ટૂંક સમયમાં જ બીજેપીમાં જોડાઈ શકે છે. એક અંગ્રેજી છાપામાં છપાયેલ સમાચાર મુજબ દિલ્હી ચૂંટણીને લઈને બીજેપીની રણનીતિ છે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોને તોડવામાં આવે અને પાર્ટીમાં લેવામાં આવે. 
Shajiya
 
ઉલ્લેખનીય છે કે શાજિયા ઈલ્મીએ આમ આદમી પાર્ટીની અંદર લોકતંત્રની કમીનો આરોપ લગાવતા પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. દિલ્હીના આર કે પૂરમથી ચૂંટ્ણી લડી હતી અને બીજેપી ઉમેદવારના હાથે માત્ર 300 વોટોથી હારી ગઈ હતી. 

વેબદુનિયા પર વાંચો