અમે લાઠીચાર્જ સહી રહ્યા હતા અને કિરણ બેદી ટ્વીટ કરી રહી હતી

શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (14:39 IST)
આપ નેતા કુમાર વિશ્વાસે કિરણ બેદી પર નિશાન સાધતા કહ્યુ કે તે ઈંડિયા અગેંસ્ટ કરપ્શન ના દિવસોમાં જ બીજેપી તરફ નમતુ રાખતી હતી. 
 
કુમાર વિશ્વાસ મુજબ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન કિરણ બેદીએ અરવિંદ કેજરીવાલને કહ્યુ હતુ કે બીજેપીને લઈને નરમ વલણ અપનાવ્યુ. કુમાર વિશ્વાસે પણ આરોપ લગાવ્યો કે નિર્ભયા મામલે વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે તે અને મનીષ સિસોદિયા લાઠીચાર્જ ખાઈ રહ્યા હતા. એ સમયે કિરણ બેદી ફક્ટ ટ્વીટ કરી રહી હતી. કિરણ બેદીએ કુમાર વિશ્વાસના આરોપો પર કોઈપણ પ્રતિક્રિયા વ્યક્ત કરવાની ના પાડી દીધી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા વિશ્વાસે કિરણ બેદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે કિરણ બેદી ભાડાની કપ્તાન છે અને નરેન્દ્ર મોદી ગબ્બર સિંહ.  તેમણે કહ્યુ હતુ કે ગબ્બરને એ નથી ખબર કે ભાડાના કપ્તાનથી જય અને વીરુ હારી નથી શકતા. 

વેબદુનિયા પર વાંચો